ફિલ્મમેકર કરણ જોહરે તાજેતરમાં તેની ટ્વિટર પ્રોફાઇલ પર એક સ્ટેટમેન્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે, તેના ઘરે કામ કરતી બે વ્યક્તિને કોરોના વાઇરસનું સંક્રમણ થયું છે. કરણે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, અમારા ઘરે કામ કરતાં સ્ટાફમાંથી બે મેમ્બર્સ કોવિડ-૧૯ માટે પોઝિટિવ આવ્યા છે. તેમનામાં બીમારીનાં લક્ષણો દેખાતાં જ બિલ્ડિંગની એક જગ્યામાં તેમને ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે તાત્કાલિક માહિતી આપી હતી. કરણે વધુ લખ્યું હતું કે, અમારા પરિવાર અને સ્ટાફમાંથી બીજા બધા સેફ છે અને કોઈનામાં લક્ષણો દેખાતાં નથી. અમારા ટેસ્ટ્સ કરવામાં આવ્યા હતા અને ટેસ્ટ્સ નેગેટિવ આવ્યા હતા, પરંતુ અમે અમારી આસપાસની દરેક વ્યક્તિની સેફ્ટી માટે આગામી ૧૪ દિવસ આઇસોલેટ રહીશું.