BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગઢડા ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે આણંદમાં વિચરણ કર્યું હતું. ૨૫મી ફેબ્રુઆરીને મંગળવારે સવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. આ દિવસે તેમણે ૪ મંદિરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. ૨૬મીને
બુધવારે સવારની સભામાં પૂ. મહંત સ્વામીએ વચનામૃતનું નિરુપણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ ભગવાનની પ્રસન્નતાના સાધન છે. ૨૮મીને શુક્રવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. ૨૯મીને શનિવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. પૂ. મહંત સ્વામીએ વચનામૃતનું નિરુપણ કરતા કહ્યું હતું કે કુસંગનો એક શબ્દ પડે તો તમને ચકરાવે ચઢાવે. તમને સુખ આવે નહીં માટે કુસંગ તો કરવો જ નહીં. મોટા પુરુષ રાજી થાય તો બધુ કામ થાય.
૧લીને રવિવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ વચનામૃતનું નિરુપણ કરતા કહ્યું હતું કે અવગુણોનો નાશ થાય ત્યારે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે. સાંજે તેઓ પ્રમુખ ગુરુ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુણગાન ગવાયા હતા. ૩જીને મંગળવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા.
સાંજે BAPS સ્વામિનારાયણ છાત્રાલય નડિયાદના ૨૮મા વાર્ષિકોત્સવમાં ભાગ લીધો હતો. પૂ. મહંત સ્વામી પાંચમીને મંગળવારથી ૮મીને રવિવાર સુધી ગઢડા ખાતે બિરાજમાન છે.