ફ્લોરિડા: મિયામીના સર્ફસાઇડ (મિયામી)માં ૨૪ વર્ષે શેમ્પ્લેન ટાવર્સની ધસી પડેલી ઇમારતના કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે તેના બચી ગયેલા હિસ્સાને પણ વિસ્ફોટ કરી તોડી પડાયો. ભૂમિગત ગેરેજ સુધી પહોંચવા માટે આ જરૂરી છે. જેનાથી શબને કાઢી શકાય. બચાવ તથા તલાશી અભિયાન અવરોધો છે. ઉલ્લેખનીય છે કે સર્ફસાઇડમાં ૨૪ જૂને ૧૨ માળની ઇમારતનો એક હિસ્સો તોડી પડાયો. કાટમાળમાં અત્યાર સુધીમાં ૨૫ લોકોના શબ મળી આવ્યાં છે. અને ૧૨૪ લોકો હજુ પણ ગુમ છે. ત્યાં એક ભારતીય પટેલ પરિવાર પણ સામેલ છે.
દુર્ઘટનાનું કારણઃ ઇમારતમાં તિરાડો પડી
તપસામાં જાણ થઇ કે ૧૨ માળની ઇમારતમાં અનેક જગ્યાએ તિરાડો પડી હતી. ૩ વર્ષ પહેલા એન્જિનિયરોએ ચેતવણી પણ આપી કે મોટી હોનારત સર્જાઇ શકે છે.