ડરબનઃ દક્ષિણ આફ્રિકામાં ડરબનની એક અદાલતે મહાત્મા ગાંધીની પપૌત્રીને ૬૦ લાખ રૈંડની છેતરપિંડીના મામલે ૭ વર્ષની કેદની સજા સંભળાવી છે. આશીષ લતા રામગોબિન (૫૬)ને સોમવારના અદાલતમાં આ સજા સંભાળવામાં આવી. તેમના પર ઉદ્યોગપતિ એસ. આર. મહારાજની સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતો. મહારાજે તેમને કથિત રીતે ભારતથી માલની આયાત કરવા અને કસ્ટમ ડ્યુટી ક્લિયરિંગ માટે ૬૨ લાખ રૈંડ આપ્યા હતા, જેનું કોઈ અસ્તિત્વ નહોતુ.
લતા રામગોબિને મહારાજને કહ્યું હતુ કે, તેમણે સાઉથ આફ્રિકન હૉસ્પિટલ ગ્રુપ નેટ કેર માટે લિનેનના ત્રણ કન્ટેનર મંગાવ્યા છે. રામગોબિનના પરિવાર અને નેટ કેરના દસ્તાવેજના કારણે મહારાજે લોન માટે તેમની સાથે લેખિત કરાર કર્યો, પરંતુ જ્યારે તેમને છેતરપિંડીની જાણ થઈ તો તેમણે લતા વિરુદ્ધ કેસ નોંધાવ્યો.