ગાંધીજીના પ્રપૌત્રીને સાત વર્ષની જેલ, નકલી દસ્તાવેજોના આધારે કરી હતી છેતરપિંડી

Wednesday 09th June 2021 08:06 EDT
 
 

ડરબનઃ દક્ષિણ આફ્રિકામાં ડરબનની એક અદાલતે મહાત્મા ગાંધીની પપૌત્રીને  ૬૦ લાખ રૈંડની છેતરપિંડીના મામલે ૭ વર્ષની કેદની સજા સંભળાવી છે. આશીષ લતા રામગોબિન (૫૬)ને સોમવારના અદાલતમાં આ સજા સંભાળવામાં આવી. તેમના પર ઉદ્યોગપતિ એસ. આર. મહારાજની સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતો. મહારાજે તેમને કથિત રીતે ભારતથી માલની આયાત કરવા અને કસ્ટમ ડ્યુટી ક્લિયરિંગ માટે ૬૨ લાખ રૈંડ આપ્યા હતા, જેનું કોઈ અસ્તિત્વ નહોતુ.
લતા રામગોબિને મહારાજને કહ્યું હતુ કે, તેમણે સાઉથ આફ્રિકન હૉસ્પિટલ ગ્રુપ નેટ કેર માટે લિનેનના ત્રણ કન્ટેનર મંગાવ્યા છે. રામગોબિનના પરિવાર અને નેટ કેરના દસ્તાવેજના કારણે મહારાજે લોન માટે તેમની સાથે લેખિત કરાર કર્યો, પરંતુ જ્યારે તેમને છેતરપિંડીની જાણ થઈ તો તેમણે લતા વિરુદ્ધ કેસ નોંધાવ્યો.


comments powered by Disqus