પ્રિન્સ ફિલીપના નિધન અંગે VHP UKએ શાહી પરિવારને સાંત્વના પાઠવી

Wednesday 14th April 2021 09:00 EDT
 

હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલીપ, ડ્યૂક ઓફ એડિનબરાના નિધન અંગે બ્રિટિશ હિંદુઓ વતી વિશ્વ હિંદુ પરિષદ યુકેએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને હર મેજેસ્ટી ક્વિન તથા શાહી પરિવારને સાંત્વના પાઠવી હતી.
બ્રિટિશ હિંદુઓ તરફથી સતત અપાયેલી શ્રદ્ધાંજલિઓ તેમના સેવામય જીવનની મોટાપાયે પ્રશંસાનો પૂરાવો છે અને તેમાં હિંદુ ધર્મનું મહત્વ છે. વર્ષો દરમિયાન પ્રિન્સ ફિલીપે મેળવેલી ઘણી સિદ્ધિઓએ ઈન્ટરફેથ ડાયલોગને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. હિંદુ ધર્મના શાંતિ અને ભાઈચારાના સાર્વત્રિક સિદ્ધાંતો પ્રત્યે પ્રિન્સ ફિલીપને ખૂબ આદર હતો. તેના લીધે બ્રિટનનો એક બહુસાંસ્કૃતિક અને વૈવિધ્યપૂર્ણ ભાતીગળ ચિત્ર તરીકે વિકાસ થયો છે. આ વાત તેમણે ૧૯૯૩માં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટીઓ સમક્ષ બકિંગહામ પેલેસ લંચઓન વખતે કરી હતી. તેમાં તેમણે જણાવ્યું કે ૧૯૮૪માં બ્રેડફોર્ડમાં ૧૦,૦૦૦ હિંદુઓની ઉપસ્થિતિમાં આયોજિત હિંદુ સંગમમાં ક્વિનના પ્રતિનિધિ લોર્ડ લેફ્ટનન્ટ ઓફ વેસ્ટ યોર્કશાયર, સર વિલિયમ બુલ્મેર હાજર રહ્યા હતા. ૧૯૮૯માં ૧૨૦,૦૦૦ હિંદુઓની હાજરી સાથે મિલ્ટન કેઈન્સમાં યોજાયેલા વિરાટ હિંદુ સંમેલનમાં ગુરખા રેજિમન્ટ ( તેઓ તેના કમાન્ડર ઈન ચીફ હતા)એ ભાગ લીધો હતો. તેમને બ્રિટિશ હિંદુઓ પ્રત્યે ખૂબ માન હતું. સૌના ભલા માટે ઈન્ટરફેથ સમજ અને સહયોગમાં પ્રગતિ માટે પ્રિન્સ ફિલિપે આપેલા મહત્ત્વના યોગદાન બદલ વિશ્વ હિંદુ પરિષદે તેમનો આભાર માન્યો હતો. પ્રિન્સ ફિલીપ બ્રિટિશ રાષ્ટ્ર, કોમનવેલ્થ અને માનવજાત માટે સાહસ, સેવા અને ફરજની વીરાસત છોડી
ગયા છે.


    comments powered by Disqus