કાઠમંડુઃ નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પાંચમી વખત દેશના વડા પ્રધાન બન્યા. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ તેમને બંધારણની કલમ ૭૬ (૫) હેઠળ વડા પ્રધાન બનાવ્યા. આ પાંચમી વખત છે જ્યારે દેઉબા (૭૪) નેપાળના વડા પ્રધાન તરીકે સત્તામાં પરત ફર્યા છે. સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન ઓલીના ૨૧ મેના પ્રતિનિધિ સભાને વિસર્જન કરવાના નિર્ણયને પલટાવ્યો હતો અને દેઉબાને વડા પ્રધાન બનાવવાનો આદેશ આપ્યો હતો.