નવીદિલ્હીઃ જીએસટી કાઉન્સિલે કોરોના સંબંધિત રાહત સામે સામગ્રી અંગે રચાયેલા મંત્રીઓના જૂથના ભલામણને મંજૂરી આપી દીધી છે. બ્લેક ફંગસના ઇલાજ માટે વપરાતી ટોસિલિજુમેબ અને એમ્ફોટેરિસિન બીને ટેક્સ ફ્રી કરી દીધી છે. જ્યારે વેક્સિન પર પહેલાની જેમ ૫ ટકાનો દર યથાવત્ રાખ્યો છે. રેમડેસિવિર જેવી દવા અને ઓક્સિજન કોન્સેટ્રેટર જેવા ચિકિત્સા સાધનો પરનો ટેક્સ ઘટાડી દેવાયો છે. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું કે, ઓટોમોબાઇલને કારણે એમ્બ્યુલન્સ પર ૨૮ ટકાનો જીએસટી ઘટાડીને ૧૨ ટકા કરાયો છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને કોવિડ તપાસ કીટ પરનો જીએસટી પણ ઘટાડાયો છે.