ત્વચા નિરોગી રાખવા મિનરલ મેક-અપ

Wednesday 05th May 2021 09:52 EDT
 
 

મિનરલ મેક-અપ બ્યુટિશિયનો અને મહિલાઓમાં બહુ ઝડપથી પોપ્યુલર થઇ રહ્યો છે. પરંતુ આ મેકઅપનો ફાયદો શું છે? આ મેકઅપ અન્ય મેક-અપ કરતા ઘણો સારો અને નેચરલ લુક આપે છે. કોઇ પણ મેકઅપમાં કોમ્પેક્ટ, ફાઉન્ડેશન તથા આઇ-શેડો બનાવવા માટે કેમિકલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મિનરલ મેકઅપ બનાવવા માટે કેમિકલનો નહીં, પરંતુ મિનરલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં કેમિકલનું પ્રમાણ નહિવત્ હોય છે. આ મેકઅપ સ્કિનના પ્રોટેકશનમાં વધારો કરે છે. જે મહિલાઓ પ્રતિદિન મેકઅપ કરે છે તેમની સ્કિન ખરાબ થઇ જવાની શક્યતા વધુ હોય છે. આ મહિલાઓ માટે મિનરલ મેકઅપ સૌથી સારો વિકલ્પ બની રહ્યો છે. મિનરલ મેકઅપથી સ્કિનનું પ્રોટેશન વધે છે અને ત્વચા નિરોગી રહે છે.


comments powered by Disqus