દુબઈ: દેશમાં કોરોના મહામારીના વિસ્ફોટને લીધે આ વર્ષના ઓક્ટોબર નવેમ્બરમાં યોજનાર આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપની ભારતની યજમાની સંકટમાં મૂકાઈ છે. કોવિડ-૧૯ ની ભારતમાં હાલ જે ખરાબ સ્થિતિ છે એ જોતા આઈસીસીએ ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન ભારત સિવાય બીજે ખસેડવાની યોજના તૈયાર રાખી છે. આમ તો ટી-૨૦ વર્લ્ડ કપને હજુ ૬ મહિનાની વાર છે, પણ ભારતની કોરોના કેશની હાલત જોતાં યુએઈને વર્લ્ડ કપનું યજમાનપદ મળી શકે છે. ટી-૨૦ વર્લ્ડ કપ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો હતો. જે કોરોનાને લીધે સ્થગિત થયો હતો. ટી-૨૦ વર્લ્ડ કપના આયોજન માટે બીસીસીઆઈ પ્રતિબધ્ધ છે. આ માટે ૯ સ્થળ પણ જાહેર કરી દીધા છે. ફાઈલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાનો છે.