હૈદ્રાબાદના કેપ્ટન તરીકે વોર્નરની હકાલપટ્ટી ન્યૂઝીલેન્ડના વિલિયમસનની નિયુક્તિ

Wednesday 05th May 2021 10:11 EDT
 
 

નવીદિલ્હીઃ સનરાઈઝર્સ હૈદ્રાબાદની ફ્રેન્ચાઇઝીએ અસાધારણ નિર્ણય લેતા તેમના કેપ્ટન વોર્નરની હકાલપટ્ટી કરી છે. તેના સ્થાને ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનની કેપ્ટન તીરકે નિયુક્તિ થઈ છે. એટલું જ નહીં વોર્નરની ટીમમાંથી પણ બાદબાકી થઈ શકે છે. તેવા સંકેત હૈદ્રાબાદની ટીમ મેનેજમેન્ટે આપ્યા છે.
વોર્નરે આ આઈપીએલમાં તેની ઇમેજથી વિપરીત સ્લો બેટિંગ કરતાં ૩, ૫૪,૩૬,૩૭, ૬ અને ૫૭નો સ્કોર જ કર્યો છે. હૈદ્રાબાદ તેની છમાંથી પાંચ મેચ હારીને તળિયે ચે. હવે તેઓ ટીમમાં નવી કેપ્ટનસી સાતે નવસંચાર કરવા માંગે છે. જોકે રાજસ્થાન રોયલ્સ પણ ખાસ ચઢિયાતું નથી. રાજસ્થાન છ માંથી બે મેચ જ જીત્યું છે. હૈદ્રાબાદ રો, બેરસ્ટો, મનિષ્ પાંડે અને વિલિયમ્સન પર મોટો આધાર રાખે છે. જો કે તેમાંથી કોઈ વિસ્ફોટક બેટ્સમેન નથી.
વિલિયમસન ત્રમ મેચ જ રમ્યો છે. હૈદ્રાબાદ સ્પિનર રશિદખાન પર જ મહત્તમ બોલિંગ મદાર રાખે છે. તેણે છ મેચમાં નવ વિકેટ લીધી છે પણ તેને અન્ય બોલરોનો સપોર્ટ નથી મળતો.
રાજસ્થાનની બોલિંગ પણ નબળી છે. સેમસને પ્રથમ મેચમાં ૧૧૯ રન કર્યા તે પછી ૪૨ સૌથી વધુ સ્કોર છે. બટલરે હજુ અડધી સદી નથી ફટકારી. તેવટિયા પણ ૨૦૨૦ની આઈપીએલ જેવી ઝમકદાર રમત નથી બહાર લાવી શક્યો. રાજસ્થાન માટે ચેનત સાકરિયા, ઊર્જાવાન લાગે છે. તેણે છ મેચમાં ૭ વિકેટ ઝડપી છે. ક્રિસ મોરિસને બેટિંગમાં આગળ મોકલવો જોઈએ.


comments powered by Disqus