નેપાળના પૂર્વ પીએમ અને રામદેવની પતંજલિ સામે ભ્રષ્ટાચારનો કેસ

Wednesday 11th June 2025 06:07 EDT
 
 

કાઠમંડુ: પતંજલિના બાબા રામદેવ અને નેપાળ સરકાર વચ્ચે જમીન ખરીદીને લઈને એક સોદો થયો હતો, હવે તેમાં રૂ. 11.6 કરોડના ભ્રષ્ટાચારના રિપોર્ટ સામે આવ્યા છે. એટલું જ નહીં આ ભ્રષ્ટાચારને કારણે નેપાળના પૂર્વ વડાપ્રધાન માધવકુમાર નેપાળે સાંસદપદ પણ ગુમાવવું પડ્યું છે.
નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી (સીઆઇએએ)એ ગુરુવારે પૂર્વ વડાપ્રધાન સામે જમીન કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલો પતંજલિ યોગપીઠ દ્વારા કાઠમાંડુથી 40 કિમી દૂર કાગ્યે જિલ્લામાં પતંજલિ દ્વારા ખરીદાયેલી 32 હેક્ટર જમીન સાથે જોડાયેલો છે. સીઆઈએએ મુજબ માધવ નેપાળની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમીન કાયદામાં છૂટ સાથે મંજૂરી અપાઈ હતી, અને બે મહિના બાદ અન્ય એક નિર્ણયમાં જમીનને વ્યાવસાયિક ઉપયોગ માટે ખુલ્લી મુકાઈ હતી.


comments powered by Disqus