નવી દિલ્હી: ભારતે પાક.નાં સત્તાવાળાઓને સ્પષ્ટ કહ્યું હતું કે,જ્યાં સુધી ભારતની આતંકને લગતી સમસ્યા દૂર નહીં કરાય અને સિંધુ જળસંધિને નવું રૂપ નહીં અપાય ત્યાં સુધી ભારતના સિંધુ જળસંધિ મુદ્દે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરશે નહીં. પાકિસ્તાનના સત્તાવાળાઓ દ્વારા સિંધુનું પાણી પાક.ને આપવા અનેક વખત પત્ર લખાયા છે. સિંધુ જળસંધિ મુજબ પાણી આપવા પાકિસ્તાન દ્વારા ભારતને આજીજી કરાઈ રહી છે. પાક.નાં જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તઝાએ અનેક વખત જળસંધિ સ્થગિત કરવાના નિર્ણય પર વિચારણા કરવા કહ્યું છે. તેમણે પોતાના ભારતીય સમકક્ષ દેવશ્રી મુખરજીને પત્રો લખ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, ભારત દ્વારા પાક.ના પત્રોનો કોઈ જવાબ અપાયો નથી. જ્યાં સુધી ભારતની આતંકને લગતી સમસ્યા અને જળસંધિને નવું રૂપ ન અપાય ત્યાં સુધી પડોશી દેશ સાથે કોઈ વાતચીત કરાશે નહીં.