યુદ્ધના માહોલ વચ્ચે સરહદીય સાંતલપુરમાં 300 યુગલોનાં લગ્ન

Wednesday 14th May 2025 06:11 EDT
 
 

સાંતલપુરઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા માહોલ વચ્ચે સરહદીય સાંતલપુરમાં આહિર સમાજના 300 જોડાંનાં લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયાં છે. સુરક્ષાની દૃષ્ટિએ તંત્ર દ્વારા ત્રણ દિવસથી રોજ મોડી સાંજે સરહદીય ગામોમાં બ્લેકઆઉટની અમલવારી કરાઈ. આ પરિસ્થિતિમાં સાંતલપુર તાલુકાનાં 48 ગામોમાં સાંજે 7 વાગ્યા સુધીમાં તમામ લગ્ન વિધિઓ પૂરી થાય અને વર-વધૂ સલામત રીતે ઘરે પહોંચી શકે એ માટે સમાજના આગેવાનોએ આયોજન કર્યું હતું. આહિર સમાજમાં વર્ષમાં માત્ર એક જ દિવસ વૈશાખ સુદ તેરસે લગ્નો યોજાય છે.


    comments powered by Disqus