જૈન નેટવર્ક અને પતંજલિ યોગાપીઠ યુ.કે.ના ઉપક્રમે શનિવાર ૧૪ જુનના રોજ ૧૧મા ઇન્ટરનેશનલ યોગા દિનની ઉજવણી કરી હતી. યોગ શિક્ષિકા કલ્પનાબહેન પટેલ અને એમના પતિશ્રી ભરતભાઇ બન્ને પતંજલિના પ્રતિનિધિઓ છે અને યોગા શિક્ષકો છે જેમણે ઉપસ્થિત ૫૦ જેટલા ભાઇબહેનોને યોગા કરાવી એની પ્રેક્ટીસ દરરોજ કરવા પર ભાર મૂક્યો હતો. જેથી તન-મનની તંદુરસ્તી જળવાઇ રહે.
આ પ્રસંગે સેન્ટરના દ્રષ્ટા ડો. નટુભાઇ શાહના વીઝનને બિરદાવ્યુ હતું અને એમના દિકરી લીનાબહેન તથા જમાઇ ડો અજયભાઇએ આ નવા બનેલ સેન્ટરની વિગતો આપતાં સૌને એનો લાભ લેવા જણાવ્યું હતું.