ઇસ્લામાબાદઃ પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળસંધિ રદ કરતાં પાકિસ્તાનને અપાતું પાણી બંધ કર્યું છે. જેથી પાકિસ્તાનના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાકિસ્તાનના મુખ્ય ગણાતા ઝેલમ નદી પરનો મંગલા ડેમ અને સિંધુ નદી પરનો ટર્બેલા બંધ સુકાઈ જવાની તૈયારીમાં છે. પાક.ની ઈન્ડસ રિવર સિસ્ટમ ઓથોરિટી (IRSA)નાં જણાવ્યા મુજબ બુધવારે પાકિસ્તાને તેના તમામ મુખ્ય જળસ્ત્રોતોથી જેટલું પાણી મેળવ્યું તેના કરતાં વધારે પાણી છોડવું પડ્યું, જેની અસર પંજાબ, સિંધની સિંચાઈસુવિધા પર પડી હતી. પાણીની તંગીથી 40 ટકા ખેતી નિષ્ફળ બની છે.