ચારમિનાર નજીક ગુલઝાર હીઝ ખાતે રવિવારે સવારે 6 વાગ્યે બે માળની રહેણાક ઇમારત અને એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 17 લોકોના મોત થયા હતા.
• ઇસરોનું સેટેલાઇટ લોન્ચ નિષ્ફળઃ ઇસરોના વડા વી.નારાયણના જણાવ્યા પ્રમાણે પીએસએલવી-સી-61 રોકેટ દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઇઓએસ-09નું લોન્ચિંગ ટેકનિકલ ખામીના કારણે નિષ્ફળ નિવડયું હતું. ઇસરોનું આ 101મું સેટેલાઇટ લોન્ચિંગ હતું.
• આકાશ આનંદને બસપાના મુખ્ય નેશનલ કો.ઓર્ડિનેટરઃ બસપા પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને ફરી એક વાર મોટી જવાબદારી સોંપી છે. માયાવતીએ આકાશ આનંદને બસપાના મુખ્ય નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા છે.
• ભારત-પાક. વચ્ચે યુદ્ધવિરામ કરાવી શકીએ: ચીને સોમવારે જણાવ્યું કે તે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થાયી યુદ્ધવિરામ માટે મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી મોહંમદ ઇશાક ડાર ચીન પહોંચ્યા છે તેવા સમયે ચીનનું આ નિવેદન આવ્યું છે.
• IMFએ પાકિસ્તાનનું કાંડું કાપ્યુંઃ પાક.ને વારંવાર લોન આપનારા IMF દ્વારા ચેતવણી અપાઈ છે. જો ભારત સાથે સંબંધો ખરાબ કર્યા તો હવે પછી લોનના બાકીના હપતાની રકમ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. બેલઆઉટ કાર્યક્રમ પછીનો હપતો આપતા પહેલાં પાકિસ્તાને નવી 11 શરતોનું પાલન કરવું પડશે.
• ગાઝાપટ્ટીના 10 લાખ શરણાર્થીને લીબિયામાં સેટલ કરાઈ શકેઃ લીબિયાએ ગાઝાના ટ્રમ્પ પ્લાનને સમર્થન આપતાં દસ લાખ ગાઝા રહેવાસીઓને તેને ત્યાં વસાવવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે લીબિયા અત્યાર સુધી અમેરિકાનું દુશ્મન રહ્યું છે.