નેપાળમાં રાજાશાહી આંદોલનને કચડવા તૈયારીઃ ઘણા નેતા ભૂગર્ભમાં

Wednesday 04th June 2025 07:02 EDT
 
 

કાઠમંડુઃ નેપાળના રસ્તાઓ પર રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રની માગ સાથે ઊઠેલો અવાજ હવે સરકારના નિશાન પર છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલતું આ આંદોલન ઝડપથી ફેલાવાની સાથે સત્તાના ગલિયારાઓમાં તણાવ પણ પેદા કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ આંદોલન તે દિવસે શરૂ થયું હતું જ્યારે દેશ તેની લોકશાહી ઓળખ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો હતો. પરંતુ જે રીતે ભીડ રસ્તાઓ પર ઉતરી, મીણબત્તીઓ પ્રગટાવી અને લોકોએ પૂર્વ રાજા બિરેન્દ્રના પરિવારની હત્યાની તિથિ પર શ્રદ્ધાંજલિ આપી તેના પરથી સ્પષ્ટ થાય છે કે એક મોટો વર્ગ વર્તમાન વ્યવસ્થાથી નાખુશ છે. હવે પીએમ કેપી શર્મા ઓલીની સરકારે આ આંદોલનને કચડી નાખવાની તૈયારીઓ કરી લીધી છે, જેના ભાગરૂપે અનેક નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે.


comments powered by Disqus