ઢાકાઃ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની હત્યા અને તેમના પર સતત ટાર્ગેટેડ હુમલા વચ્ચે વધુ એક દુઃખદ અને આઘાતજનક ઘટના બની છે. રંગપુર શહેરમાં એક નિવૃત્ત હિન્દુ શિક્ષક, તેમની પત્ની, 23 વર્ષીય પુત્રી અને 12 વર્ષીય પુત્ર તેમના જ ભંષ થરમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં. આ જવન્ય હત્યાકાંડથી હિન્દુઓમાં ફરી ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. આ ઘટનાની અનેક એજન્સીઓએ તપાસ ચાલુ કરી હતી.
