સ્વામીનારાયણ મંદિર, નીસડનમાં રામનવમી અને સ્વામીનારાયણ જયંતીની ઉજવણી
BAPS સ્વામીનારાયણ મંદિર, નીસડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન લંડન NW10 8LD ખાતે તા. ૨૫-૩-૧૮ને રવિવારે ભગવાન સ્વામીનારાયણ તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે. સવારે ૯.૩૦થી રાત્રે ૮ દરમિયાન ભક્તજનોને અન્નકૂટના દર્શનનો લાભ મળશે. બપોરે ૧૨ વાગે રામચંદ્ર જન્મોત્સવ આરતી થશે. આરતી બાદ રાત્રે ૮ સુધી શ્રી રામચંદ્રને પારણે ઝૂલાવવાનો ભક્તજનોને લ્હાવો મળશે. સાંજે ૫થી ૬ દરમિયાન કીર્તન ભક્તિ થશે. ૭ વાગે સંધ્યા આરતી બાદ રાત્રે ૮થી ૧૦.૧૫ દરમિયાન સ્વામીનારાયણ જયંતી તથા રામનવમીની સભા યોજાશે. રાત્રે ૧૦.૧૦ વાગે સ્વામીનારાયણ ભગવાન જન્મોત્સવ આરતી થશે. સંપર્ક. 020 8965 2651
• લંડન સેવાશ્રમ સંઘ ૯૯A, ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે રવિવાર તા.૨૫-૩-૧૮ સવારે ૧૦ વાગે રામનવમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8743 9048
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN દ્વારા રવિવાર તા.૨૫-૩-૧૮ સવારે ૯.૩૦થી બપોરે સાંજે ૬ દરમિયાન રામનવમી નિમિત્તે પટદર્શન, રામ જન્મ આરતી અને અખંડ ધૂનનું આયોજન કરાયું છે. બપોરે ૧થી ૨ અને રાત્રે ૮થી ૯ દરમિયાન ફળાહારની વ્યવસ્થા છે. સંપર્ક. 01772 253 901.
• રાધાકૃષ્ણ મંદિર ૩૩ બાલમ હાઈ રોડ, SW12 9AL ખાતે રવિવાર તા.૧૮-૩-૧૮થી રવિવાર તા.૨૫-૩-૧૮ બપોરે ૧૨થી ૪ દરમિયાન શ્રી રામ નવ પારાયણનું આયોજન કરાયું છે. રવિવાર તા.૨૫મીને રામનવમીએ પૂર્ણાહુતિ, ત્યારબાદ મહાપ્રસાદ. સંપર્ક. 020 8675 3831
• શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૧૭-૦૩-૧૮ સાંજે ૬.૩૦ વાગે VHPઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ – ૪૫, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૮-૦૩-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૭-૦૩-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૧૮-૦૩-૧૮ બપોરે ૩ કલાકે ભજન અને બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540
• સનાતન મંદિર, ક્રોલી, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 7AF ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૪-૩-૧૮ ૧૦૮ કુંડી મહાયજ્ઞ - રવિવાર તા.૨૫-૩-૧૮ લિંબચીયા જ્ઞાતિબંધુઓનું સ્નેહમિલન – શુક્ર. તા. ૨૩ અને શનિ તા. ૨૪ સાંજે ૭થી હરિદાનભાઈ ગઢવી અને ગ્રૂપનો ડાયરો - રવિવાર તા.૨૫-૩-૧૮ બપોરે ૨ વાગે ગુજરાત હિંદુ યુનિયન (GHU)ની વાર્ષિક સાધારણ સભા સંપર્ક. 01293 530 105
• કાર્ડીફ સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી સેન્ટર, Sea view Building, Lewis Road, Cardiff, CF24 5EB ખાતે આગામી તા. ૧૩મી મે ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૧થી બપોરના ૩ દરમિયાન ભગવાન શ્રી વિશ્વવકર્મા દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રતિષ્ઠા પૂ. શ્રી ચંદ્રિકાબેન જોશીના હસ્તે કરાશે. પૂજા, ભોજન પ્રસાદીનો લાભ મળશે.
યુકેના વિવિધ શહેરોના ભક્તોને કોચ લઇને પધારવા નમ્ર વિનંતી છે. સંપર્ક વિમલાબેન પટેલ 07979 155 320 અને રશ્મિબેન ખંભાયતા: 07931 116 653
• ચિન્મય મિશન યુકે દ્વારા ‘વિઝન ઓફ લાઈફ’ વિષય પર સ્વામી મિત્રાનંદના પ્રવચનનું શુક્રવાર તા.૧૬-૩-૧૮ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ દરમિયાન ક્રોયડન પાર્ક હોટલ, ૭, અલ્ટાયર રોડ, ક્રોયડન CR9 5AA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8203 6288
સાભાર સ્વીકાર
• વિશ્વગાયત્રી પ્રગટપીઠ, કાસોર દ્વારા પ્રકાશિત ‘વિશ્વ ગાયત્રી’નો અંક મળ્યો છે.
• વસોથી જતીનભાઇ દ્વારા પ્રકાશિત ‘વસો માસિક પત્રિકા’નો અંક મળ્યો છે.
• ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા પ્રકાશિત ‘સમાજ દીપ’નો અંક મળ્યો છે.
• શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત ‘રામકૃષ્ણ જ્યોત’નો અંક મળ્યો છે.
• ઇસ્કોન દ્વારા પ્રકાશિત ‘બેક ટુ પ્રભુપાદ'નો અંક મળ્યો છે.
અવસાન નોંધ
રામુભાઈ મટવાડકરનું નિધન
દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના મટવાડ ગામના વતની અને ઘણાં વર્ષોથી લંડનમાં રહેતા શ્રી રામુભાઇ પટેલ ૯૨ વર્ષની વયે સોમવાર તા. ૧૨મી માર્ચ ૨૦૧૮ના રોજ દેહાવસાન પામ્યા છે. દાંડી કૂચ વેળાએ દાંડી, કરાડી, આંટ, મટવાડ આદી ગામના શૂરવીર ભાઇ બહેનોએ અવર્ણનીય કુરબાની આપી હતી. રામુભાઇ તે કોમના સાચે જ એક નર રત્ન સમાન પ્રતિનિધિ હતા.તેમણે ત્રીસેક વર્ષ પહેલા ‘ગુજરાત સમાચાર’ના તંત્રી મંડળમાં પત્રકાર તરીકે ખૂબ જ કિંમતી ફાળો આપ્યો હતો. સ્વ. રામુભાઇ તેમની પાછળ પત્ની લક્ષ્મીબેન, પુત્ર તેમજ પુત્રી અને પરિવારની લીલી વાડી મૂકી ગયા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને પરમ શાંતિ અર્પે તેવી ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના. સંપર્ક: પ્રજ્ઞિલ પટેલ 07940 543 851 અને ઇમેઇલ: [email protected]
•••
• પીનર ખાતે રહેતા દિનેશચંદ્ર ભાભુભાઇ દસાંદી ગત તા. ૬-૩-૧૮ના રોજ મંગળવારે દેવલોક પામ્યા છે. સંપર્ક: ભાવિનીબેન 07984 497 810.