• શ્રી સ્વામીનારાયણ આજ્ઞા-ઉપાસના સત્સંગ મંડળ, યુકે દ્વારા ‘શ્રી સ્વામીનારાયણ મહોત્સવ’ અંતર્ગત સ્વામી નિત્યસ્વરૂપદાસજીની વાણીમાં ‘શ્રીમદ સત્સંગિજીવન કથા પારાયણ’નું રવિવાર તા.૨૯.૭.૧૮થી શનિવાર તા.૪.૮.૧૮ દરમિયાન જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન હેરો HA3 9TE ખાતે આયોજન કરાયું છે. રવિ તા.૨૯ સાંજે ૪ પોથીયાત્રા, સોમ તા.૩૦ સાંજે ૪ ઘનશ્યામ જન્મોત્સવ, બુધ તા.૧ ઓગસ્ટ સાંજે ૫ ગાદી પટ્ટાભિષેક, ગુરુ તા. ૨ સાંજે ૫ કથા અને સાંસ્કૃતિક કાર્યક્રમ, શનિ તા.૪ સવારે ૧૦ અન્નકૂટ ઉત્સવ, સાંજે ૫ રાસોત્સવ અને સાંજે ૭.૩૦થી ૮ કથા પૂર્ણાહુતિ પૂજન. દરરોજ કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. ઘનશ્યામભાઈ પટેલ 07809 608 831
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળની વાર્ષિક સામાન્ય સભાનું રવિવાર તા.૨૯.૭.૧૮ બપોરે ૨થી સાંજે ૫ દરમિયાન ૧૧, શીવેસહિલ એવન્યુ, કોલિન્ડેલ લંડન NW9 6SE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07956 154 734
• BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે પૂ. ઈશ્વરચરણસ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં રવિવાર તા.૨૯.૭.૧૮ સાંજે ૫.૩૦થી ગુરુપૂર્ણિમાના સમૈયાનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8965 2651
• પૂ.રામબાપાના સાનિધ્યમાં જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ભજન - ધૂનનું રવિવાર તા.૨૯-૦૭-૧૮ સવારે ૧૧થી બપોરે ૨ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા ૮૪ કોસ વ્રજ પરિક્રમા મહોત્સવનું શુક્રવાર તા.૩.૮.૧૮થી ગુરુવાર તા.૯.૮.૧૮ સુધી દરરોજ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. મહોત્સવ દરમિયાન શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ) ‘વ્રજ યાત્રા મહાત્મ્ય કથા’નું રસપાન કરાવશે. દરરોજ મનોરથ બાદ આરતી અને તે પછી મહાપ્રસાદની વ્યવસ્થા છે. મહોત્સવના મીડિયા પાર્ટનર ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ છે. ‘આસ્થા’ ચેનલ પર કથાનું પ્રસારણ થશે. સંપર્ક. સુભાષ લાખાણી 07748 324 092
• મા કૃપા ફાઉન્ડેશન યુકે, દ્વારા શ્રી રમણિકભાઈ દવેની વાણીમાં ‘જલારામ કથા’નું ગુરુવાર તા.૨.૮.૧૮થી શનિવાર તા.૪.૮.૧૮ દરમિયાન બપોરે ૩ વાગ્યાથી કેનન્સ હાઈ સ્કૂલ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. શનિવારે બપોરે ૨થી ૩ કથા અને ૩થી સાંજે ૬ દરમિયાન હવન થશે. દરરોજ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. જયંતીભાઈ ખગ્રામ 020 8907 0028
• આનંદમૂર્તિ ગુરુમાના પ્રવચનનું શુક્રવાર તા.૩.૮.૧૮થી રવિવાર તા.૫.૮.૧૮ દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ હિંદુ ટેમ્પલ, ૩૪૧, લીડ્સ રોડ, બ્રેડફર્ડ BD3 9LSખાતે આયોજન કરાયું છે. સમયઃ શુક્ર. તા.૩ સાંજે ૬થી ૮, શનિ તા.૪ બપોરે ૪થી ૬, રવિ તા.૫ બપોરે ૪થી ૬, વધુમાં રવિવાર તા. ૫ સવારે ૭થી ૯ યોગ અને યોગ નિદ્રાનું રિજન્સી હોલ, ૧૪૨, ઈસ્ટ પરેડ, બ્રેડફર્ડ BD1 5EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજ 07958 935 593
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે પૂ. અર્ચનાદીદીની રામચરિતમાનસ કથાનું સોમવાર તા.૦૬.૦૮.૧૮ થી મંગળવાર તા.૧૪.૮.૧૮ સાંજે ૫થી ૮ દરમિયાન આયોજન કરાયું છે. દરરોજ ભોજનપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. 01772 253 901.
• ફેમ એન્ડ રાજ (એપ્સલેટ) પ્રસ્તુત, પંકજ ત્રિવેદી લિખિત અને હેમંત પીઠડીયા નિર્મિત કોમેડી નાટક ‘બારબાર દેખો’ના શોઝ • શુક્રવાર તા.૩.૮.૧૮ રેડબ્રીજ ટાઉનહોલ (ઈલ્ફર્ડ) સંપર્ક. આનંદ પાન સેન્ટર 020 8514 3800 • શનિવાર તા.૪.૮.૧૮ બપોરે ૩ અને સાંજે ૭ વાગે હેરો આર્ટ સેન્ટર, હેરો સંપર્ક. જય પટેલ 07872 320 205 • રવિવાર તા.૫.૮.૧૮ બપોરે ૩ અને સાંજે ૭ વાગે હેરો આર્ટ સેન્ટર,
હેરો સંપર્ક. નેહલ પટેલ 07856 542 019