અંતે સુરતી વેપારીઓએ એરલાઇન શરૂ કરી

સુરતઃ સુરતમાં વિમાની સેવા બરાબર ન હોવાની શહેરના ઉદ્યોગકારોમાં ફરિયાદ રહેતી હતી. જોકે સરકારી સેવાની ઉદાસીનતા સામે ચાર ઉદ્યોગકારોએ અનોખું સાહસ ખેડી પોતાની જ ‘ડાયમંડ એરોનોટિક’ એરલાઇન સર્વિસ શરૂ કરી છે. ધનતેરસના દિવસે આ નવી એરલાઇનનું પ્રથમ વિમાન સુરત પહોંચ્યું હતું.

જોકે અન્ય લોકોને આ વિમાની સેવાનો લાભ પહેલી ડિસેમ્બરથી મળશે. જ્યારે ચાર્ટર સુવિધા દિવાળીથી શરૂ થશે. એરલાઇન શરૂ કરનારા ઉદ્યોગકારોમાં સવજીભાઇ ધોળકિયા, ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઇ પટેલ, લવજીભાઇ બાદશાહનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગકારોમાંથી એક સવજી ધોળકિયાએ તો એક દિવસ પહેલાં જ પોતાના કર્મચારીઓને ૪૯૧ કાર અને ૨૦૭ ફ્લેટ ભેટમાં આપ્યા હતા.
રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભૂજ, અમરેલી, વડોદરા તથા મુંબઈ, નાસિકને પણ આ એરલાઇનના નેટવર્ક સાથે જોડવાની યોજના છે. અત્યારે તો તેમના કાફલામાં બે નવ સીટર પ્લેન, એક ચાર સીટર પ્લેન અને એક હેલિકોપ્ટર હશે.
૨૦૦૭માં સુરતમાં વિમાની સેવા શરૂ થઇ હતી, પરંતુ અત્યાર સુધી બે ફ્લાઇટ જ ઉપલબ્ધ છે. તેમાંથી એક કંપનીએ મુંબઈ-સુરતની ફ્લાઇટ બંધ કરી છે.

અંતે સુરતી વેપારીઓએ એરલાઇન શરૂ કરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.