પાક. હિન્દુઓને ભારતીય નાગરિકત્વ મેળવવામાં ઘણો વિલંબ

અમદાવાદઃ પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને ભારતીય નાગરિત્વ મેળવવા માટે વહીવટી પ્રક્રિયાના નામે લાંબો વિલંબ સહન કરવો પડે છે. ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કર્યા બાદ પાકિસ્તાની હિન્દુઓને માત્ર દિવસો ગણવાના હોય છે. આ લોકોને અરજી કર્યા બાદ ક્યારે તેમને ભારતીય નાગરિત્વ મળશે તેની રાહ જોવા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કરનારા મોટાભાગના કિસ્સામાં આ હિન્દુઓને ભારતીય નાગરિકત્વ મેળવવામાં એક દાયકા જેટલો લાંબો સમય રાહ જોવી પડે છે. અત્યારે અમદાવાદ જિલ્લા કલેકટરમાં ૧૫૦૦થી વધુ આવી અરજીઓ પેન્ડિંગ છે. છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદમાં અરજી કરી હોય તે પૈકીના માત્ર ૫૦ જેટલા લોકોને ભારતીય નાગરિત્વ મળ્યું છે જ્યારે હજુ હજારો લોકો માત્ર ઇંતજાર કરી રહ્યાં છે.

પાક. હિન્દુઓને ભારતીય નાગરિકત્વ મેળવવામાં ઘણો વિલંબ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.