સંતરામ મહારાજનો ૧૮૪મો સમાધિ મહોત્સવઃ
નડિઆદના સંતરામ મહારાજનો ૧૮૪મો સમાધિ મહોત્સવ અને બ્રહ્મલીન મહંત નારાયણદાસજી મહારાજની પુણ્યિતિથિના ઉપક્રમે ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી ભવ્યાતિભવ્ય સત્સંગના કાર્યક્રમોનું આયોજન થયું છે. મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં પૂ. આચાર્ય શ્રીમતસ્વામી મેઘાનંદપુરીજીના અધ્યક્ષપદે શાકરભાષ્ય પારાયણાંજલિ અને શ્રીમદ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાય ઉપર વિદ્વાન સંતોના પ્રવચનો યોજાશે.
