ત્રણ વૈજ્ઞાનિકોને મેડિસિનનું નોબેલ પ્રાઇઝ
સ્ટોકહોમઃ માનવમગજ કેવી રીતે માર્ગ શોધે છે એ વિશે સંશોધન કરવા બદલ સંયુક્ત બ્રિટિશ અમેરિકન સંશોધક જ્હોન ઓ'કિંફે અને નોર્વેના સંશોધક દંપતિ એડવર્ડ અને મે-બ્રિટ મોસેરને મેડિસિનનું સંયુક્ત નોબલ પ્રાઇઝ એનાયત થયું છે. આ સંશોધકોએ મગજમાં ‘ઈનર જીપીએસ’ નામની કોઈ સિસ્ટમ હોય છે, જેની મદદથી માણસો રસ્તો શોધી શકે છે એના વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા છે. એવું કહેવાય છે કે, આ સંશોધનની મદદથી અલ્ઝાઈમર અને મગજ સંબંધિત રોગોને વધુ સારી રીતે સમજીને દવાઓ શોધવામાં મદદ મળશે.
