ગોંડલમાં ૧૦૮ વર્ષનાં વૃદ્ધાની અંતિમયાત્રા વાજતે ગાજતે નીકળી

રાજકોટ: જિલ્લાના ગોંડલમાં મૃત્યુ પામેલા ૧૦૮ વર્ષના વૃદ્ધાની તેમના પરિજનોએ ધામધૂમથી સ્મશાનયાત્રા યોજી હતી. પાંચ પેઢીને નજરે જોનારા દાદીમાં પાછળ રોવાને બદલે વાજતે ગાજતે અંતિમયાત્રા નિકળી હતી. ગોંડલ શહેરનાં ભગવતપરા-૯માં રહેતા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના જડાવબેન વશરામભાઇ પરમારનું ગત સપ્તાહે ૧૦૮ વર્ષની ઉંમરે નિધન થયું હતુ.

વૃદ્ધાનું નિધન થતાં પરિવારમાં ગમગીની તો હતી જ, પરંતુ જડાવબહેને પરિવારની પાંચ-પાંચ પેઢીની લીલીવાડી જોઇ હોવાથી તેમના પુત્રો અને પરિવારજનોએ માતાને અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પવા માટે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવાનો નિર્ણય કર્યો હતો.
સદ્ગતની અંતિમયાત્રામાં અબીલ-ગુલાલની છોળો ઉડાડી ઢોલ-મંજિરાની રમઝટ વચ્ચે ધૂન-ભજન સાથે સ્મશાન પહોંચી હતી. એટલું જ નહીં પાડોશીઓએ ઘરનાં આંગણે સાથિયાની રંગોળી કરી જડાવબેનને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

ગોંડલમાં ૧૦૮ વર્ષનાં વૃદ્ધાની અંતિમયાત્રા વાજતે ગાજતે નીકળી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.