બોફોર્સકાંડમાં ફરિયાદ રદ્ કરવા માધવસિંહ સોલંકીની અપીલ
નવી દિલ્હીઃ ખળભળાટ મચાવનાર બોફોર્સ તોપ કૌભાંડમાં પોતાને કથિત રીતે સંડોવી દેવાના મામલે છેલ્લા ૧૧ વર્ષથી કાનૂની જંગ ખેલી રહેલા પૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીએ હવે દિલ્હી હાઇ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. તેમણે વર્ષ ૨૦૦૩માં એનડીએ સરકારના વખતમાં સીબીઆઇએ તેમની સામે દાખલ કરેલી એફઆઇઆર કાઢી નાખવાની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૨માં થયેલી એક ઘટનાના સંદર્ભમાં એનડીએના શાસનમાં સીબીઆઇએ સોલંકી સામે એફઆઇઆર નોંધી હતી.
