વડોદરામાં ૨૭ ડિસેમ્બરથી મોરારિબાપુની રામકથા

વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ કરશે.
જે માટે ૭ લાખ ફૂટનો વિશાળ શામિયાણો તૈયાર કરાશે. કથા સ્થળે શ્રોતાઓ માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરાઈ છે. આ માટે અલગથી ૪ લાખ ફૂટનો મંડપ તૈયાર થશે. પ્રસાદ માટે ૧૬૫ કાઉન્ટરો ઊભા કરાશે. આ ઉપરાંત રોજ કથા વિરામ બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે જેમાં શંકર મહાદેવન, નુરાન સિસ્ટર્સ (સુફી), ભીખુદાન ગઢવી, ઓસમાણ મીર, હેમંત ચૌહાણ જેવા કલાકારો મનોરંજન પૂરું પાડશે.
