યહુદીવિરોધના નવા મોજાં સામે ચેતવણી

લંડનઃ હોમ સેક્રેટરી થેરેસા મેએ પેરિસ હત્યાકાંડ પછી યહુદીવિરોધના નવા મોજા સામે ચેતવણી આપતાં જણાવ્યું છે કે યહુદીઓને બ્રિટનમાં રહેવું સલામત જણાતું નથી.
તેમણે એક સમારંભમાં કહ્યું હતું કે યુનાઈટેડ કિંગ્ડમમાં વસતાં યહુદી સમાજના લોકો તેમને અહીં રહેવામાં ભય લાગે છે તેમ કહે તેવા દિવસની મને કલ્પના પણ ન હતી. ધ જ્યુઈશ ક્રોનિકલ દ્વારા ગત સપ્તાહે લેવાયેલા મતદાનમાં 43 ટકા યહુદીઓએ તેમનો બ્રિટનમાં વસવાટ અસલામત થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આના પગલે હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે દેશમાં ૨૬૦,૦૦૦ યહુદી વસ્તીના ઘણા લોકો દૈનિક જીવનમાં અસુરક્ષિતતા અનુભવે છે. પોલીસે સમગ્ર યુકેમાં યહુદી કોમ્યુનિટીઓમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.
