હવે વિમાનયાત્રીઓને મળશે વધુ વળતર

હવે વિમાનયાત્રીઓને મળશે વધુ વળતર

ભારતીય એરલાઇન્સોમાં પ્રવાસ કરનાર જો મૃત્યુ થાય તો તેમનો સામાન ગુમ થવા પર જે વળતર મળે છે તેની રકમમાં વધારો થવાની સંભાવના છે. 

નવી દિલ્હીઃ ભારતીય એરલાઇન્સોમાં પ્રવાસ કરનાર જો મૃત્યુ થાય તો તેમનો સામાન ગુમ થવા પર જે વળતર મળે છે તેની રકમમાં વધારો થવાની સંભાવના છે. સરકારે તેનું વિનિયમન કરનારા કાયદામાં સુધારાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે કેરિજ બાય એર એક્ટ ૧૯૭૨માં સંશોધનને મંજૂરી આપી છે. તેમાં મુસાફરો માટે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ (એસડીઆર) મૃત્યુની સ્થિતિમાં એસડીઆર ૮૫ લાખ રૂપિયાથી વધારીને લગભગ રૂ. ૯૬.૧૩ લાખ કરવાની જોગવાઈ કરી છે. તેવી જ રીતે, વિલંબ થાય તો પ્રવાસી અંદાજે રૂ. ૩,૫૨,૭૫૦ને બદલે લગભગ રૂ. ૩,૯૮,૯૯૦ વળતર મેળવવા હકદાર રહેશે. સામાન ગુમ થાય તો કે તે નાશ પામે તો વર્તમાન વળતર લગભગ રૂ. ૮૫,૦૦૦થી વધીને રૂ. ૯૬,૧૩૫ રૂપિયા જેટલું કરાયું છે.

એસડીઆર શું છે?

એસડીઆર (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ) એક ખાસ પ્રકારનું અનામત ભંડોળ છે. તેને ૧૯૬૯માં આઇએમએકે શરૂ કર્યું હતું, તે સભ્ય દેશો માટે એક પૂરક ભંડોળ છે.

હવે વિમાનયાત્રીઓને મળશે વધુ વળતર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.