૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું તા. ૧૨મી એપ્રિલના રોજ પ્રેેસ્ટનમાં સન્માન

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧-૩૦થી સાંજના ૪-૦૦ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧-૩૦થી સાંજના ૪-૦૦ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને ટૂંક જ સમયમાં ખૂબ જ સુંદર સહકાર સાંપડ્યો છે અને દસ કરતા વધારે વડિલોએ પોતાના ફોર્મ મોકલી અપ્યા છે.

આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનું નામ, સરનામુ, જન્મ તારીખ કે ઉંમર, જન્મ સ્થળ, મૂળ વતન, ટૂંકો બાયોડેટા, તાજેતરનો ફોટો તેમજ ઉપસ્થિત રહેનાર વ્યક્તિઅોની કુલ સંખ્યા સાથેની સંપૂર્ણ માહિતી તા. ૫ એપ્રિલ ૨૦૧૫ પહેલા ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected]કે પછી પોસ્ટ દ્વારા કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે મોકલી આપવા નમ્ર વિનંતી છે. જરૂર પડે આ માટેનું ફોર્મ ઇમેઇલ દ્વારા મોકલી આપવામાં આવશે અથવા તો ગુજરાત હિન્દુ સોસાયટી - મંદિર ખાતેથી પણ મળશે. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી કમલ રાવ 020 7749 4001 / 07875 229 211 અથવા ગુજરાત હિન્દુ સોસાયટી 01772 253 901.

૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું તા. ૧૨મી એપ્રિલના રોજ પ્રેેસ્ટનમાં સન્માન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.