૨૦ લાખ લોકો દ્વારા પેઈનકિલરનો દુરુપયોગ
લંડનઃ હવે લોકો પીડા સહન કરવાના બદલે પેઈનકિલર લઈ લેવાનું વધુ પસંદ કરે છે. જોકે, શરીર પર આની ખરાબ કે આડઅસર થતી હોવાં વિશે લોકો અજાણ હોય છે. બ્રિટનમાં આ ભારે સમસ્યા બની છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જારી કરાયેલાં નવા આંકડા અનુસાર બ્રિટનમાં આશરે ૨૦ લાખ લોકો પેઈનકિલરને દુરુપયોગ કરે છે. લોકો આપમેળે જ પીડાશામક દવાઓ લેતાં રહે છે.
લંડનઃ હવે લોકો પીડા સહન કરવાના બદલે પેઈનકિલર લઈ લેવાનું વધુ પસંદ કરે છે. જોકે, શરીર પર આની ખરાબ કે આડઅસર થતી હોવાં વિશે લોકો અજાણ હોય છે. બ્રિટનમાં આ ભારે સમસ્યા બની છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જારી કરાયેલાં નવા આંકડા અનુસાર બ્રિટનમાં આશરે ૨૦ લાખ લોકો પેઈનકિલરને દુરુપયોગ કરે છે. લોકો આપમેળે જ પીડાશામક દવાઓ લેતાં રહે છે.
અગાઉ ન્યુરોલોજિસ્ટ્સ દ્વારા કહેવાયું જ છે કે, કારણ વિના આડેધડ લેવાતી પેઈનકિલર દવાઓ જ પ્રૌઢ તેમ જ નબળાં યુવાન લોકોમાં મોતનું કારણ બને છે. તેના કારણે લોકોને દવાઓનું બંધાણ પણ થાય છે અને સમયાંતરે તેનો ઓવરડોઝ લેવાતો થઈ જાય છે.
