પોરબંદર પાસે નૌકાદળનું નવું મથક કાર્યારત થશે

પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદે વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે.

પોરબંદરઃ પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદે વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. આ માટે પોરબંદર નજીક નૌકાદળ નવું મથક સ્થાપવા જઈ રહ્યું છે. જેને આઈએનએસ સરદાર વલ્લભભાઈ પટેલ નામ અપાશે.

ગુજરાતના દરિયા કાંઠે નૌકાદળના આ બીજા મથકને ૯ મેના સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ કાર્યારત કરાવશે. નૌસેનાની પશ્ચિમ પાંખના જનસંપર્ક અધિકારી રાહુલ સિંહાએ જણાવ્યું હતું કે આપણા પશ્ચિમી દેશો સાથેનો આ દરિયાઇ વિસ્તાર નૌકાદળ માટે ખૂબ મહત્ત્વનો છે. આ ઘટનાક્રમને પગલે આપણા જહાજો ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાશે અને યુદ્ધજહાજો સજ્જ કરી શકાશે. દ્વારકા જિલ્લાના ઓખાસ્થિત આઈએનએસ ઉપરાંત ગુજરાતમાં આ બીજું નૌકાદળ મથક બન્યું છે.

ઓખામાં મથક હોવા છતાં પણ પશ્ચિમી કાંઠાળ વિસ્તારમાં સતર્ક જાપ્તાનો વ્યાપ વિસ્તારવા માટે હજુ બીજા મથકની જરૂર હતી, તેવું સિંહાએ કહ્યું હતું.

પોરબંદર પાસે નૌકાદળનું નવું મથક કાર્યારત થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.