કે. જી. હોસ્પિટલના ઓફિસ નૂતન સંકુલનું લોકાર્પણ

ભુજ મંદિરના મહંત સ્વામી, સંતો અને હોસ્પિટલના પ્રમુખ ધનજીભાઈ રાઘવાણીના હસ્તે કરસન ગોપાલ જેસાણી હોસ્પિટલના ઓફિસ વિભાગનું ૨૬મી મેએ ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે રૂ. પાંચ લાખનું દાન જાહેર કરાયું હતું.
બળદિયાઃ ભુજ મંદિરના મહંત સ્વામી, સંતો અને હોસ્પિટલના પ્રમુખ ધનજીભાઈ રાઘવાણીના હસ્તે કરસન ગોપાલ જેસાણી હોસ્પિટલના ઓફિસ વિભાગનું ૨૬મી મેએ ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે રૂ. પાંચ લાખનું દાન જાહેર કરાયું હતું.
આફ્રિકામાં ભુજ નરનારાયણ દેવ કચ્છ સત્સંગના મૂળિયા મજબૂત કરનાર સેવાભાવી અગ્રણી કરસન ગોપાલ જેસાણીની સ્મૃતિમાં ૧૯૭૮માં ઊભી કરાયેલી બળદિયાની આ હોસ્પિટલ આજુબાજુના ૬૦ ગામો માટે ઉપયોગી થઈ રહી છે. એ જાણીને લંડનવાસી દાતા ખીમજી શામજી જેસાણીના પુત્ર કે. કે. જેસાણી અને તેના પરિવારે ઓફિસ સંકુલ માટે દાન આપ્યું હતું. તેમને ટ્રસ્ટ વતી સંતોએ પહેરામણી કરી હતી.
આ પ્રસંગે યુગાન્ડાના પરબતભાઈ સિયાણીએ રૂ. ૨.૨૨ લાખ, કાનજી રાઘવાણીએ રૂ. ૧.૨૫ લાખ, કાંતાબહેન મનજી રાઘવાણી (બોલ્ટન)એ રૂ. એક લાખ, કરશનભાઈ રામજી વરસાણી તથા અન્ય દાતાઓએ દાન કર્યું હતું.
