રક્તપિત્તના દર્દીઓની સંખ્યા પાંચ વર્ષમાં ૪૦ ટકા વધી
ગાંધી નિર્વાણ દિન સાથોસાથ વિશ્વ રક્તપિત્ત દિવસ પણ હોય છે અને આ રોગ અંગે જાગૃતિ માટે હાલમાં જ એક રિપોર્ટ બહાર પડ્યો ત્યારે તારણ મળ્યું કે, ગુજરાતમાં રક્તપિત્તના દર્દીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. રાજ્યમાં ૨૦૧૧ના વર્ષમાં રક્તપિત્તના ૭૫૦૦ દર્દીઓ હતા.
અમદાવાદઃ ગાંધી નિર્વાણ દિન સાથોસાથ વિશ્વ રક્તપિત્ત દિવસ પણ હોય છે અને આ રોગ અંગે જાગૃતિ માટે હાલમાં જ એક રિપોર્ટ બહાર પડ્યો ત્યારે તારણ મળ્યું કે, ગુજરાતમાં રક્તપિત્તના દર્દીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. રાજ્યમાં ૨૦૧૧ના વર્ષમાં રક્તપિત્તના ૭૫૦૦ દર્દીઓ હતા. ૨૦૧૫માં આ સંખ્યા ૧૦,૫૦૦ ઉપર પહોંચી છે. મતલબ કે પાંચ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં ૪૦ ટકાનો મોટો વધારો થયો છે. આરટીઆઈની પૃચ્છામાં એવું પણ બહાર આવ્યું છે કે, ૨૦૧૪-૧૫માં આ રોગના ૪૭૨૯ પુરુષ અને ૪૨૯૫ સ્ત્રી મળીને કુલ ૯૦૨૪ દર્દીઓ રાજ્યમાં હતા, જ્યારે ૨૦૧૫માં ૮૮૯ પુરુષ અને ૭૦૨ સ્ત્રી મળીને આ રોગના કુલ ૧૫૯૧ દર્દીઓ છે.
