કેદીઓને સમયમર્યાદા પહેલા મુક્ત કરવાની યોજના પર બર્નહામની રોક

વડાપ્રધાન એન્ડી બર્નહામે દેશની જેલોમાં ગીચતા ઘટાડવા માટે શરૂ કરાયેલી કેદીઓની સમય પહેલાં મુક્તિની યોજના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. પોલીસ કોન્સ્ટેબલ એન્ડ્રુ હાર્પરની હત્યાના ગુનેગારોને મુક્ત કરવાની શક્યતા સામે ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લંડનઃ વડાપ્રધાન એન્ડી બર્નહામે દેશની જેલોમાં ગીચતા ઘટાડવા માટે શરૂ કરાયેલી કેદીઓની સમય પહેલાં મુક્તિની યોજના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. પોલીસ કોન્સ્ટેબલ એન્ડ્રુ હાર્પરની હત્યાના ગુનેગારોને મુક્ત કરવાની શક્યતા સામે ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી સરકાર આ સમગ્ર યોજનાની તાત્કાલિક સમીક્ષા ન કરે અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં ન લે ત્યાં સુધી કોઈ પણ કેદીને વહેલા મુક્ત કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે જો યોજનામાં ફેરફાર કરવાની જરૂર પડશે, તો સરકાર તેમાં સહેજ પણ ખચકાશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાથી તબક્કાવાર રીતે આશરે 6,000 જેટલા કેદીઓને વહેલા મુક્ત કરવાનું આયોજન હતું.

કેદીઓને સમયમર્યાદા પહેલા મુક્ત કરવાની યોજના પર બર્નહામની રોક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.