પાણીના નિકાલમાં કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવાશે નહીં : CM

પાણીના નિકાલમાં કોઈપણ પ્રકાર

સ્માર્ટસિટી અમદાવાદમાં પડેલા વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈ રાજ્યના મુખ્યમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીને લઈ લાલઘૂમ જોવા મળ્યા હતા.

અમદાવાદઃ સ્માર્ટસિટી અમદાવાદમાં પડેલા વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈ રાજ્યના મુખ્યમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીને લઈ લાલઘૂમ જોવા મળ્યા હતા. બોપલમાં 36 કલાકથી વધુ સમય પસાર થવા છતાં વરસાદી પાણીનો નિકાલ કોર્પોરેશનના અધિકારીઓ કરાવવામાં નિષ્ફળ જતાં તેમને મુખ્યમંત્રીના રોષનો સામનો કરવો પડ્યો હતો. ‘વરસાદી પાણીના નિકાલને લઈ બેદરકારી ન દાખવશો' એમ કહી ઉધડો લેતાં અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. અમદાવાદમાં સતત વરસતા વરસાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે વરસાદી પાણીથી ઘેરાયેલા બોપલમાં નિરીક્ષણ કરવા સામાન્ય નાગરિકની જેમ પહોંચ્યા હતા.

પાણીના નિકાલમાં કોઈપણ પ્રકાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.