કચ્છમાં નવા એસઈઝેડને મંજૂરી

2001ના ઔદ્યોગિકરણ બાદ કચ્છ ઉદ્યોગક્ષેત્રે ગુજરાત નહીં દેશનું મહત્ત્વનું પ્રવેશદ્વાર બન્યું છે. એશિયાનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર ગાંધીધામમાં સ્થપાયું. તેના થકી ગાંધીધામ સંકુલમાં નિકાસ આધારિત ઉદ્યોગોનો ધમધમાટ શરૂઆતથી જ રહ્યો છે, ત્યારે એશિયાના સૌપ્રથમ સેઝનું બે તબક્કામાં વિસ્તરણ કરાયું છે, હવે ત્રીજા તબક્કા માટેની ગતિવિધિ આરંભાઈ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મુંદ્રા તાલુકાના વડાલા ખાતે ખાનગી એસઈઝેડને મંજૂરી અપાઈ છે. આ સાથે કચ્છમાં સરકારી અને ખાનગી સહિત 3 એસઈઝેડ થતાં કચ્છમાં નિકાસને પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીનું પ્રમાણ પણ વધશે. 1965માં સ્થપાયેલા દેશના પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્રનો 700 એકરમાં આરંભ કરાયો હતો.
ગાંધીધામઃ 2001ના ઔદ્યોગિકરણ બાદ કચ્છ ઉદ્યોગક્ષેત્રે ગુજરાત નહીં દેશનું મહત્ત્વનું પ્રવેશદ્વાર બન્યું છે. એશિયાનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર ગાંધીધામમાં સ્થપાયું. તેના થકી ગાંધીધામ સંકુલમાં નિકાસ આધારિત ઉદ્યોગોનો ધમધમાટ શરૂઆતથી જ રહ્યો છે, ત્યારે એશિયાના સૌપ્રથમ સેઝનું બે તબક્કામાં વિસ્તરણ કરાયું છે, હવે ત્રીજા તબક્કા માટેની ગતિવિધિ આરંભાઈ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મુંદ્રા તાલુકાના વડાલા ખાતે ખાનગી એસઈઝેડને મંજૂરી અપાઈ છે. આ સાથે કચ્છમાં સરકારી અને ખાનગી સહિત 3 એસઈઝેડ થતાં કચ્છમાં નિકાસને પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીનું પ્રમાણ પણ વધશે. 1965માં સ્થપાયેલા દેશના પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્રનો 700 એકરમાં આરંભ કરાયો હતો.
