જેન-ઝી આંદોલન બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી

દિલ્હીના જંતરમંતર પર થયેલા જેન-ઝીના આંદોલન બાદ હાલ ભાજપ બેકફૂટ પર છે. આ આંદોલન બાદ ગુજરાતમાં યોજાયેલી પહેલી ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને આંચકો સહન કરવાનું આવ્યું છે.
ગાંધીનગરઃ દિલ્હીના જંતરમંતર પર થયેલા જેન-ઝીના આંદોલન બાદ હાલ ભાજપ બેકફૂટ પર છે. આ આંદોલન બાદ ગુજરાતમાં યોજાયેલી પહેલી ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને આંચકો સહન કરવાનું આવ્યું છે. દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપે સામાન્ય ચૂંટણીમાં મેળવેલી 15 પૈકી 6 બેઠકો પર ઉમેદવારોએ બળવો કરતાં તેમને હાંકી કઢાયા હતા અને ત્યાં પેટાચૂંટણી કરવી પડી હતી. ગુરુવારે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપ પોતાની આ 6 બેઠક જાળવી રાખવામાં સફળ ન થયું. તેને બદલે માત્ર બે બેઠક જ હાથમાં આવી. બાકીની 4 બેઠક પૈકી 2 કોંગ્રેસે અને 2 આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી આંચકી લીધી છે.
