આનંદોઃ ભારત પ્રવાસ સરળ બન્યો..
ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે ભારત સરકારે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
લંડનઃ ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે ભારત સરકારે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ડિજિટલ સેવા શરૂ થવાને કારણે હવે પ્રવાસીઓએ દરેક જગ્યાએ ઓરિજિનલ ફિઝિકલ ઓસીઆઈ બુકલેટ સાથે રાખવાની જરૂર નહીં રહે. ઇ-ઓસીઆઇ કાર્ડના કારણે બ્રિટનથી ભારતની મુલાકાતે જનારાનો પ્રવાસ સરળ બનશે.
