જીવન આધુનિકતાથી નહીં, સંસ્કારથી સમૃદ્વ હોવું જોઇએઃ સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

જીવન આધુનિકતાથી નહીં, સંસ્કાર...

અમદાવાદ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ ધ્યાન, ભજન તેમજ સમૂહ આરતીનો લાભ લીધો હતો.

 અમદાવાદઃ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ ધ્યાન, ભજન તેમજ સમૂહ આરતીનો લાભ લીધો હતો. સભામાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, આજનો યુવાન દેશનું ભવિષ્ય છે. તેથી તેનું જીવન માત્ર આધુનિકતાથી નહીં પણ નીતિમય સંસ્કારોથી સમૃદ્ધ હોવું જોઈએ. વ્યસનો ક્ષણિક આનંદ આપીને ભવિષ્ય બરબાદ કરે છે, જેથી યુવાનોએ તેનાથી મુક્ત રહેવું જોઈએ. જીવનની સાચી સફળતા માટે રોજ મંદિરે જઈ દર્શન કરવા, નિત્ય તિલક-ચાંદલો કરવો અને રવિસભામાં નિયમિત હાજરી આપવી જરૂરી છે. સંતોનો સમાગમ, સંયમ, સેવા અને સદાચાર જ યુવાનીના સાચા આભૂષણો છે. સંસ્કારી યુવાન જ આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

જીવન આધુનિકતાથી નહીં, સંસ્કાર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.