પાકિસ્તાનમાં 25 કરોડ લોકો પર જળસંકટઃ ભારતને યુદ્ધની ધમકી

પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને તોડી નાખવામાં આવ્યા છે. જેને પગલે ભારતથી પાકિસ્તાન તરફ જતું પાણી અટકાવી દેવાયું હતું, આ નિર્ણયને પગલે હવે પાકિસ્તાનમાં ફરી પાણીની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને સિંધ અને બલુચિસ્તાનમાં ખેતીનાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાને પાણી માટે ભારતને યુદ્ધની ધમકી આપી દીધી છે.
ઇસ્લામાબાદઃ પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને તોડી નાખવામાં આવ્યા છે. જેને પગલે ભારતથી પાકિસ્તાન તરફ જતું પાણી અટકાવી દેવાયું હતું, આ નિર્ણયને પગલે હવે પાકિસ્તાનમાં ફરી પાણીની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને સિંધ અને બલુચિસ્તાનમાં ખેતીનાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાને પાણી માટે ભારતને યુદ્ધની ધમકી આપી દીધી છે.
