SGVP દ્વારા 1 લાખ વૃક્ષારોપણના મહાઅભિયાનનો પ્રારંભ

અમદાવાદના છારોડી સ્થિત SGVP (સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ્) કેમ્પસ ખાતે ઐતિહાસિક અને પર્યાવરણીય ક્રાંતિ સમાન ‘સામૂહિક વૃક્ષારોપણ’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે.
અમદાવાદના છારોડી સ્થિત SGVP (સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ્) કેમ્પસ ખાતે ઐતિહાસિક અને પર્યાવરણીય ક્રાંતિ સમાન ‘સામૂહિક વૃક્ષારોપણ’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવ ઉપક્રમે SGVP ગુરુકુળ દ્વારા એક લાખથી વધુ વૃક્ષો વાવવા મહાસંકલ્પ કરાયો છે. આ આયોજનના પ્રેરક પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં તાજેતરમાં હરિભક્તો, વિદ્યાર્થીઓ અને પ્રકૃતિપ્રેમીઓની વિશાળ હાજરીમાં મંત્રોચ્ચાર સાથે અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
