બ્રિટનના પ્રથમ એઆઇ મંત્રી તરીકે કનિષ્ક નારાયણની નિયુક્તિ
નવા વડાપ્રધાન એન્ડી બર્નહામે તેમની કેબિનેટમાં ભારતીય મૂળના સાંસદ કનિષ્ક નારાયણની એઆઇ મંત્રી તરીકે નિયુક્તિ કરી છે. નારાયણ પહેલા પણ એઆઇ અને ઓનલાઇન સેફ્ટી સંલગ્ન જુનિયર મંત્રી હતા
લંડનઃ નવા વડાપ્રધાન એન્ડી બર્નહામે તેમની કેબિનેટમાં ભારતીય મૂળના સાંસદ કનિષ્ક નારાયણની એઆઇ મંત્રી તરીકે નિયુક્તિ કરી છે. નારાયણ પહેલા પણ એઆઇ અને ઓનલાઇન સેફ્ટી સંલગ્ન જુનિયર મંત્રી હતા પરંતુ હવે તેમને કેબિનેટ સ્તરનો દરજ્જો હાંસલ થયો છે. નારાયણ 2024માં વેલ્સના વેલ ઓફ ગ્લેમોર્ગન બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સપ્ટેમ્બર 2025માં તેમને મંત્રી તરીકે જવાબદારી સોંપાઇ હતી અને હવે પ્રમોશન સાથે નવી જવાબદારી સોંપાઇ છે.
