રથયાત્રાઃ ભક્તને દર્શન આપવા તેના આંગણે પહોંચતા જય જગન્નાથ 16/07/2015 5:20 am Nilesh Parmar ભક્તજનો ભગવાનના દર્શન કરવા બારેમાસ મંદિરમાં જાય છે, પરંતુ અષાઢી બીજ (આ વર્ષે ૧૮ જુલાઇ)નું પર્વ એવું છે જ્યારે ભગવાન જગન્નાથજી ખુદ મોટા ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ભક્તજનોને મળે છે અને તેમના ખબરઅંતર જાણે છે.
નાઈરોબી લેઉવા પટેલ સમાજના નવા અધ્યક્ષની વરણી 16/07/2015 5:33 am Viren Vyas કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના પ્રમુખપદે સામત્રાના વતની રામજી દેવજી વરસાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
વિવિધતામાં એકતા: અનુપમ મિશનમાં પૂ. ભાઇશ્રીની ભાગવત કથા 14/07/2015 9:14 am Kamal Rao તા. ૧૧ જુલાઇનો "ગુજરાત સમાચાર"નો અંક વાંચ્યો. લંડનના રમણીય સ્થળે ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂ. રમેશભાઇ અોઝા (પૂ. ભાઇશ્રી)ની ભાગવત કથા થઇ રહી છે એ સમાચાર જાણી ખૂબ અાનંદ થયો. પૂ.ભાઇશ્રીના મુખે ભાગવતકથામાં શ્રી કૃષ્ણલીલાનું વર્ણન સાંભળવાનું ખૂબ જ ગમે છે.
અમેરિકાના કોમર્શિયલ સ્પેસ પ્રોગ્રામ માટે સુનિતા વિલિયમ્સની પસંદગી 16/07/2015 5:41 am Viren Vyas અમેરિકાએ પોતાના પ્રથમ કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામ માટે ચાર એસ્ટ્રોનોટ્સની પસંદગી કરી છે.
ન્યૂ યોર્કથી લંડન વિમાન દ્વારા માત્ર કલાકમાં પહોંચાશે 16/07/2015 5:51 am Viren Vyas વિમાન દ્વારા ન્યૂ યોર્કથી લંડન માત્ર ત્રણ કલાકમાં પહોંચાય તેવી તૈયારીઓ ચાલી રહી છે.
એશિયન એચિવર્સ એવોર્ડ્સ માટે લાયક વિજેતાની પસંદગી આપના હાથમાં છે 14/07/2015 9:20 am Kamal Rao એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત અને ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ ઓળખાતો ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને પ્રદાન અને તેમની સખત મહેનતની કદર કરવાની ઉજવણીમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આ ૧૫મો વાર્ષિક સમારંભ છે, જે શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાશે.
પાક. હિન્દુ શરણાર્થી ભારતમાં પ્રોપર્ટી ખરીદી શકશે, એકાઉન્ટ ખોલાવી શકશે 16/07/2015 6:07 am Nilesh Parmar લોકસભા ચૂંટણી વેળા વડા પ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘અન્ય દેશોમાં ત્રાસ વેઠી રહેલા હિન્દુઓ પ્રત્યે આપણી જવાબદારી છે. તેમના માટે ભારત એકમાત્ર સ્થળ છે.’ મોદી સરકાર હવે તેમનું વચન પાળવાની દિશામાં કામ કરી રહી છે. પાકિસ્તાનથી લાંબા ગાળાના વિઝા પર ભારત આવેલા હિન્દુ શરણાર્થીઓને ટૂંક સમયમાં બેન્ક એકાઉન્ટ ખોલવાની અને રહેણાંક પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી આપવા ચક્રો ગતિમાન થયા છે.
Asian Voice/Gujarat Samachar organises Diabetes Prevention Programme 14/07/2015 9:43 am Reshma Trilochun Asian Voice/Gujarat Samachar, in association with Sangat Centre will be organising a Diabetes Prevention Programme on Saturday 1st August 2015.