હું હિન્દુઓને મારવા આવ્યો હતોઃ ઉધમપુરમાં પાકિસ્તાની આતંકી ઝડપાયો 06/08/2015 4:07 am Nilesh Parmar જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરથી દસ કિલોમીટરના અંતરે નરસુ વિસ્તારમાં બુધવારે બીએસએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૦ જવાનને ઇજા પહોંચી હતી. જોકે બીએસએફના કાફલાએ આપેલા વળતા જવાબમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે હુમલા બાદ નાસી છૂટેલા એક આતંકવાદીને સુરક્ષા દળોએ ગ્રામજનોની મદદથી જીવતો ઝડપી લીધો હતો. આ સાથે જ પાકિસ્તાનની નાપાક કરતૂત વધુ એક વખત ખુલ્લી પડી છે. આ બન્ને આતંકવાદી ઉગ્રવાદી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું મનાય છે.
સાળા-બનેવીના અદમ્ય સાહસથી આતંકવાદી જીવતો ઝડપાયો 06/08/2015 4:17 am Nilesh Parmar જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમિયાન એક પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નાવેદને જીવતો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે આમાં રસપ્રદ વાત એ છે કે, આશરે ૧૬થી ૧૮ વર્ષના આ આતંકવાદીને જીવિત પકડી લેનારા સુરક્ષા દળના જવાનો નહીં, પણ સામાન્ય નાગરિકો હતા. આ આતંકવાદીએ જેમને બંધક બનાવ્યા હતા તે વિક્રમજીત સિંહ અને રાકેશ કુમારે જ તેમને ઝબ્બે કર્યો હતો. વિક્રમજીત અને રાકેશ બન્ને સગપણમાં સાળા-બનેવી થાય છે.
મંદિરમાં બાળક ભેટ ધરવાની અનોખી પરંપરા 10/08/2015 9:05 am Viren Vyas શ્રદ્ધાળુઓ વિવિધ મંદિરો કે ધાર્મિક સ્થળોએ પોતાની માનતા પૂર્ણ થાય એટલે ત્યાં જુદી જુદી ભેટ ધરાવવાની માનતા રાખતા હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં એક મંદિર એવું છે જ્યાં બાળકની ભેટ ધરવામાં આવે છે.