Advanced search


મરીમસાલાથી ભરપૂર ભોજન વહેલા મ

લંડનઃ ઘણાં લોકો તદ્દન મોળો ખોરાક લઈને જીવન ગુજારતા હોય છે, પરંતુ નવા સંશોધનો અનુસાર મરચા અને મરીમસાલાથી ભરપૂર ભોજન વહેલા મોતનું જોખમ ઘટાડી શકે છે. સપ્તાહમાં બે દિવસ પણ તીખાં તમતમતાં ભોજનનો રસાસ્વાદ લેવાય તો વહેલા મોતનું જોખમ ૧૦ ટકાથી પણ વધુ ઘટે છે. આ તારણો સ્ત્રી અને પુરુષની બાબતમાં એકસમાન છે, પરંતુ શરાબપાન નહિ કરનારાને આવા ભોજનથી વધુ લાભ મળે છે.

લંડનઃ સેવા યુકે ચેરિટી સંસ્થા દ્વારા છઠ્ઠી સપ્ટેમ્બર, રવિવારના રોજ ચોથા વાર્ષિક સાયકલિંગ ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક રેડબ્રિજ સાયકલ સેન્ટર ખાતે આયોજિત ‘CYCLE 4 SEWA’ (C4S) કાર્યક્રમનો હેતુ સેવા યુકે ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ સંસ્થા ભારત અને વિશ્વમાં અન્યત્ર કુદરતી આપત્તિઓ અને માનવીય દુર્ઘટનાઓનો શિકાર બનેલી કોમ્યુનિટીઓનાં પુનર્વસનની કામગીરીમાં જોડાય છે. અગાઉના સાયકલિંગ ઈવેન્ટ્સને સાંપડેલા જોરદાર પ્રતિસાદના પરિણામે આ વર્ષે બર્મિંગહામ અને માન્ચેસ્ટરમાં પણ C4Sનું આયોજન કરાશે.

Modi4

Modi4

Parkash Singh Badal

Parkash Singh Badal

નાવિન્દર સિંહ સરાઓ જામીન પર મુ...

લંડનઃ યુએસ શેરબજારોમાં £૫૦૦ બિલિયનની કટોકટી સર્જનારા અને ‘હાઉન્ડ ઓફ હંસલો’ તરીકે ઓળખાતા ૩૬ વર્ષીય નાવિન્દર સિંહ સરાઓને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે £૨.૫ મિલિયનના જામીન પર મુક્ત કર્યો છે. તેણે સ્વિસ બેન્ક એકાઉન્ટ અને આફ્રિકન ઈન્વેસ્ટમેન્ટ પેઢીમાં £૩૦ મિલિયનની સંપત્તિ જમા કરી હોવાની કબૂલાત કોર્ટ સમક્ષ કરી હતી. આ પછી કોર્ટે તેના જામીનની રકમ અડધી કરી નાખી હતી. યુએસ સત્તાવાળાઓ સરાઓ વિરુદ્ધ કેસ ચલાવવા પ્રત્યાર્પણની માગણી કરી રહ્યા છે.

હવે કુલડીઓમાં તાજી હવાનું વેચ

લંડનઃ એમ કહેવાય છે કે સાચું માર્કેટિંગ તો ટ્રુંડ્ર પ્રદેશમાં આઈસ્ક્રીમ અને ટાલિયાને કાંસકો વેચવામાં છે. ઘણાં વીરલાઓએ ચંદ્ર અને મંગળ પર જમીનના પ્લોટ્સનું વેચાણ કર્યું છે અને તેને ખરીદનારા સાહસિકો પણ છે. આવા જ એક નુસખામાં એક નોવેલ્ટીઝ કંપનીએ ‘શ્રોપશાયરની તાજી હવા’નું વેચાણ શરૂ કર્યું છે અને તેના દાવા અનુસાર સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

Manohar Lal Khattar

Manohar Lal Khattar

25

25