સામાન્ય નાગરિકના જીવન અને વિચારની સુરક્ષા માટે અમે કટિબધ્ધ છીએ: મોદી 17/11/2015 1:42 pm Kamal Rao 'મારા બ્રિટનના આગમન પર કદી પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. હું ૨૦૦૩માં પણ યુકે આવ્યો હતો અને તે પછી સમયના આભાવના કારણે આવી શક્યો નથી. ભારત ગૌતમ બુધ્ધ અને મહાત્મા ગાંધીની ધરતી છે અને અમારા સંસ્કારોમાં અને રગોમાં સમાજના મૂળભૂત મૂલ્યો વિરુધ્ધની કોઇ વાતને અમે સ્વીકારતા નથી. ભારતના કોઇ પણ ખૂણામાં બનતી એક, બે કે ત્રણ ઘટના અમારા સવાસો કરોડની વસતી ધરાવતા દેશ માટે ગંભીર છે અને અમે તેને સહન કરશું નહિં. કાનૂન કઠોરતાથી તે ઘટના પર કામ કરશે. ભારત એક વાઇબ્રન્ટ લોકશાહી છે અને સંવિધાન મુજબ સામાન્ય નાગરિકના જીવન અને વિચારની સુરક્ષા માટે અમે કટિબધ્ધ છીએ' એમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લંડન સ્થિત ફોરેન એન્ડ કોમનવેલ્થ અોફિસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
સંસ્થા સમાચાર - તુલસી વિવાહના કાર્યક્રમો 17/11/2015 2:38 pm Kamal Rao * ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે ભગવાન શાલીગ્રામ – વિષ્ણુ અને માતા તુલસી વૃંદાના શુભ વિવાહનું આયોજન તા. ૨૨-૧૧-૧૫ રવિવારે બપોરે ૧૧ કલાકે મંદિર ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૧ના રોજ સાંજે ૭ કલાકે મંદિરના હોલમાં સાંઝીના ગરબા અને ગીત રજૂ થશે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.
Mr Modi and the Elephants 17/11/2015 7:06 am Reshma Trilochun As Mr Modi departs these shores, for many the cheers ring hollow. Recent media coverage about India's wildlife portrays all as well. But for keystone species it is not. Recent Populus polling shows overwhelming outrage across all communities in Britain, Asian and otherwise, at the desecration of India’s wondrous elephants, whose wild population has collapsed from millions in the 19th century to barely 20,000 today.