શીખોમાં ભયનું વાતાવરણઃ આખા શીખ સમુદાયને ખોટો ચિતરવાનો આરોપ 09/06/2026 10:22 am Arnold Christie વિક્રમ દિગ્વાના કેસની સુનાવણી બાદ ફાટી નીકળેલા રમખાણોને પગલે નોકરીના સ્થળે, દુકાનોમાં અને રસ્તાઓ પર સતામણીની ઘટનાઓ સામે આવતા શીખ સમુદાયના અનેક લોકોમાં બદલાની ભાવનાનો ડર વ્યાપી ગયો છે. સાઉધમ્પટનમાં શીખો સામે વંશીય દુર્વ્યવહારના કિસ્સાઓ એટલી હદે વધી ગયા છે કે તેઓ પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ અટકાવવા હવે યુનિવર્સિટીઓ પર તવાઇ આવશે 09/06/2026 10:31 am Arnold Christie હોમ ઓફિસે વિઝા નિયમોમાં મોટા સુધારાની જાહેરાત કરી છે. નવા નિયમો હેઠળ જો કોઈ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ડ્રોપ-આઉટ રેટ વધુ જણાશે અને વિઝાના દુરુપયોગની આશંકા ઊભી થશે તો તે યુનિવર્સિટીનો વિદેશી વિદ્યાર્થીઓને રિક્રુટ કરવાનો અધિકાર રદ છીનવી લેવાશે.