ગુજરાતના 68 ડેમ તળિયાઝાટક: વરસાદ ખેંચાતાં સંકટ ઘેરાશે 24/06/2026 6:35 am Badal Lakhlani રાજ્યમાં ચોમાસાની શરૂઆત છતાં જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ પણ ચિંતાજનક સ્થિતિમાં છે. રાજ્યનાં 206 જળાશયોમાં હાલ માત્ર 36.78 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે 41.22 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો હતો. 206 જળાશયોમાં માત્ર 36.78 ટકા પાણી બચ્યું છે. સરદાર સરોવર ડેમમાં હાલ 65.36 ટકા પાણી છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમમાં સરેરાશ 48 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલની સ્થિતિ મુજબ રાજ્ય પાસે જુલાઈ માસના અંત સુધી ચાલે એટલું જ પાણી ઉપલબ્ધ હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
વનકર્મી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ 24/06/2026 6:36 am Badal Lakhlani નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વનવિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમનાં પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને રૂ. 25 હજારનો દંડ કરાયો છે. આ 9 આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરુષ આરોપી સામેલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ-અલગ ગુનાઓમાં સજા ફટકારાતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, જો કોઈ ધારાસભ્યને બે વર્ષથી વધુની સજા થાય તો તે ધારાસભ્ય ગણાશે નહીં અને તેની બેઠક ખાલી ગણાશે.
ડિહાઇડ્રેશનથી વધશે કિડનીની બીમારીનું જોખમ... 18/06/2026 6:45 am Nilesh Parmar ઘણા લોકોને કોઇ કારણ વગર ઓછું પાણી પીવાની ટેવ હોય છે, પરંતુ શું તમે એ જાણો છો કે શરીરમાં અપૂરતું પાણી અનેક બીમારીઓને નોતરે છે? ડિહાઈડ્રેશનના કારણે માઈગ્રેન, ત્વચાના રોગો અને કિડની સંબંધિત રોગો થઇ શકે છે. એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન સૂચવે છે કે જે લોકો રોજ 500 મિલીથી ઓછું પાણી પીવે છે તેમને પેશાબ ગાઢ થવાનું, કિડનીની ફિલ્ટર ક્ષમતામાં ઘટાડો થવાનું અને લાંબા ગાળાની કિડની સમસ્યાઓનું જોખમ વધી જાય છે.