Advanced search


લાંબો સમય બેસી રહેનારા લોકોને...

લંડનઃ દિવસભર તમે કેટલો સમય બેસવામાં ગાળો છો તેના આધારે ડાયાબીટીસ થવાનું જોખમ કેટલું રહેશે તે કહી શકાય છે. તાજેતરના એક ડચ અભ્યાસ અનુસાર એક દિવસમાં જરૂર કરતા એક કલાક વધુ બેસવામાં આવે તો ડાયાબીટીસ થવાનું જોખમ એક પંચમાશ જેટલુ વધે છે. અભ્યાસમાં જણાયું હતું કે ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતા લોકો આ રોગ વિનાના લોકોની સરખામણીએ દિવસમાં મોટા ભાગનો સમય બેસવામાં વીતાવતા હતા.

દેશના હાઈવેઝ પર સેન્ટ્રલ વ્હા

લંડનઃ મોટરચાલકોને ધીમા પાડવાના પ્રયાસમાં દેશના વ્યસ્ત માર્ગો પર માર્કિંગ દૂર કરાઈ રહ્યા છે. હન્સ્ટેન્ટન, નોર્ફોક સહિતના માર્ગો પર તેની ટ્રાયલમાં વચ્ચેની વ્હાઈટ લાઈન દૂર કરવામાં આવી છે. સંશોધન અનુસાર માર્ગો પરથી વચ્ચેની વ્હાઈટ લાઈન દૂર કરવાથી વાહનોની સરેરાશ ગતિમાં ૧૩ ટકાનો ઘટાડો થશે. વ્હાઈટ લાઈન દૂર કરવાથી વાહનચાલકોએ વધુ સાવચેત બનવું પડશે અને તેનાથી સ્પીડમાં ઘટાડો થશે.

સંજયની બાળકોની કસ્ટડી લેવાની

ગયા વર્ષના અંતમાં આંતરિક સમજૂતીથી છૂટાછેડા લેવાની વાટાઘાટો પડી ભાંગ્યા બાદ બિઝનેસમેન સંજય કપૂર અને અભિનેત્રી કરિશ્મા કપૂર બાંદ્રાની ફેમિલી કોર્ટમાં એકબીજા સામે જંગે ચડયા છે. બીજી ફેબ્રુઆરીએ આ કેસની પહેલી સુનાવણી હતી. સંજય અને કરિશ્માના વકીલોની સામસામી દલીલોથી કોર્ટમાં વાતાવરણ સહેજ ઉગ્ર બની ગયું હતું. જજ આઈ જે નંદાની અદાલતમાં બન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કર્યા હતા. બન્નેના બાળકોની સોંપણી પોતાને કરવા માટે સંજય કપૂરે કરેલી વચગાળાની કસ્ટડીની અરજીનો કરિશ્મા કપૂરે વિરોધ કર્યો હતો.

sanjay-karisha

sanjay-karisha

diabetes sitting too long

diabetes sitting too long

diabetes sitting too long

diabetes sitting too long

The central white line

The central white line

એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપઃ ટ

બાંગ્લાદેશમાં આવતા પખવાડિયાથી શરૂ થઇ રહેલા એશિયા કપ અને ભારતમાં આવતા મહિનાથી શરૂ થઇ રહેલા આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. ક્રિકેટના સૌથી નાના, પણ સૌથી વધુ લોકપ્રિય અને રોમાંચક એવા આ ફોર્મેટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ જાહેર કરાયેલી ટીમમાં ગુજરાતના ત્રણ ક્રિકેટરો - રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે સ્થાન મેળવ્યું છે. ટીમમાં ઝડપી બોલર મોહમ્મદ શમીનું પુનરાગમન થયું છે જ્યારે ઓલરાઉન્ડર તરીકે પવન નેગી નવો ચહેરો છે. સિનિયર ખેલાડીમાં યુવરાજ, હરભજન, આશિષ નેહરાએ ટીમમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ઝડપી બોલર ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારને પડતા મૂકાયા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની સિલેક્શન કમિટીની ચીફ સિલેક્ટર સંદીપ પાટિલે શુક્રવારે ટીમની જાહેરાત કરી હતી. 

રવીન્દ્ર જાડેજા અને રિવાબા વિ

ક્રિકેટચાહકોથી માંડીને સાથી ક્રિકેટરોમાં ‘સર’ના હુલામણા નામે જાણીતો રવીન્દ્ર જાડેજા રાજકોટના સોલંકી પરિવારની દીકરી રિવાબા સાથે વિવાહબંધને બંધાયો છે. ખુદની માલિકીની જ જ્ડ્ડુસ રેસ્ટોરાંમાં શુક્રવારે સવારે યોજાયેલી સગાઇ વિધિમાં જાડેજા અને સોલંકી પરિવારના ૧૦૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સગાઈ બાદ જાડેજાએ જણાવ્યું હતું કે ‘મને ગોડ ગિફ્ટ મળી છે.’ તો રિવાબાએ કહ્યું હતું કે, ‘મને ક્રિકેટમાં રસ ન હોવાથી અત્યાર સુધી તો હું ક્રિકેટ મેચ જોતી નહોતી, પરંતુ હવે રવીન્દ્ર સાથે સગાઈ થઈ છે ત્યારે હું મેચ જોવાનું શરૂ કરીશ.’ રિવાબાએ મિકેનિકલ એન્જિનિયરીંગ કર્યું છે અને હાલ તે દિલ્હીમાં રહીને આઇએએસ પરીક્ષાની તૈયારી કરે છે.

It's time to change; it's time to talk...

Earlier this week, I met a young man called Zephyr Jussa. Zephyr is a bright, thoughtful and articulate student with a rich social life and a good group of friends. He is studying Psychology at Coventry University, a subject that is very close to his heart. That’s because for many years, Zephyr has struggled with mental ill health.